Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણ પેટા ચૂંટણીમાં નોડલ અધિકારી તરીકે એસીપી ડો. રાજદીપસિંહ ઝાલા મૂકાયા

આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા એસ. એમ. એસ. થી મળે તો ફરીયાદ કરવા અપીલ

રાજકોટ તા. ર૬ :.. જસદણ પેટા ચૂંટણીમાં પંચ દ્વારા નોડલ અધિકારી તરીકે અમદાવાદ સાઇબર સેલના એસીપી ડો. રાજદીપસિંહ ઝાલાની નિમણુંક કરાઇ છે.આગામી ૭ર-જસદણ વિધાનસભા પેટા ચૂંટણી ર૦૧૮ ના સંદર્ભે કોઇપણ વ્યકિતને ચૂંટણી આચારસંહિતનો ભંગ થાય તેવા સંદેશો એસએમએસ માધ્યમથી મળે તો ભારતીય દંડ સહિતા તથા લોકપ્રતિનિધી ધારો ૧૯પ૧ તથા ચૂંટણી આચાર સહિતા નિયમ ૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ચૂંટણી પંચ દ્વારા નોડલ અધિકારી તરીકે અમદાવાદ સાઇબર સેલના એસપી રાજદીપસિંહ ઝાલાની નિમણુક કરવામાં આવેલ છે.

જે કોઇ વ્યકિતને આવા સંદેશો મળે અને તેઓ અંગે ફરીયાદ કે રજૂઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશા વિગત અને સંદેશો મોકલનારની વિગત એમએમએસ મોનીટરીંગ નોડલ ઓફીસર એસીપી ડો. રાજદીપસિંહ ઝાલા સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર જેમના મો. છે. ૯૯૭૮૪ ૦૭ર૭૧ તે મો. નં. પર જાણ કરવા અપીલ કરાઇ છે.

(3:35 pm IST)