Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સગાઇ પસંદ ન હોવાથી મેંદરડાની સગીરાનો આપઘાત

લગ્ન કરવા ન હોય તરૂણીની આત્મહત્યા

 જુનાગઢ તા. ર૬ : મેંદરડાના નાનજીભાઇ ખીમજી સાવલીયાની પુત્રી રવિના ઉર્ફે રાજલની સગાઇ થયેલ. પરંતુ રવિનાને સગપણ મંજુર ન હોય અને મંગેતર સરખી રીતે વાત કરતો ન હોય તેથી રવિનાએ ગળાફાંસો ખાઇને મોતને મીઠુ કરી લીધું હતું.

આજ પ્રમાણે મેંદરડા નગકના ભાલેચડા ગામના સંદિપ સાધુરામ પંજવા (ઉ.૧૭) નામના પંજાબી તરૂણને લગ્ન કરવા ન હોઇ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)