Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

દાઝી જતાં મોરબીની પૂજાનું અને ગોંડલની સંધ્યા આહિરનું મોત

રાજકોટ તા. ૨૬: મોરબીમાં લખધીરપુર રોડ પર ફેસ સિરામીક પાસે રહેતી મુળ ઝારખંડની પૂજાબેન વિષ્ણુ પાત્રો (ઉ.૨૨) ૨૪મીએ સાંજે છએક વાગ્યે સ્ટવ પર રસોઇ બનાવતી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ રાત્રીના મોત નિપજ્યું હતું. તેણીના લગ્ન અગિયાર મહિના પહેલા જ થયા હતાં. પતિ કારખાનામાં કામ કરે છે.

બીજા બનાવમાં ગોંડલ વિજયનગરમાં રહેતી સંધ્યાબેન રાણાભાઇ સૈંડા (ઉ.૨૮) નામની આહિર પરિણીતા ૧૧મીએ રાત્રે ચા બનાવતી હતી ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી જતાં રાજકોટ ખસેડાઇ હતી. તેનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. તેણીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. માવતર જુનાગઢ રહે છે. પતિ કારખાનામાં કામ કરે છે.

બનાવથી બંને મૃતકના પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને જયદિપભાઇ ધોળકીયાએ કાગળો કરી મોરબી અને ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)