Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ઓખા રામદેવજી મહિલા મંડળ દ્વારા શ્રી રામદેવપીર મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

સંતશ્રી મથુરાદાસબાપુ આંતરરાષ્ટ્રીય પ્રવકતા વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવે છે

ઓખા તા. ર૬ :.. ઓખા નવી બજારમાં આવેલ શ્રી રામદેવપીર મંદિર, સાગરભુવન ખાતે શ્રી રામદેવજી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાવમાં આવેલ જેમાં ભાવનગરના આંતરરાષ્ટ્રીય પ્રવકતા સંત શ્રી મથુરાદાસબાપુ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે.

કથાના માગલીક પ્રસંગો તા. રપ ના નૃસિહજનમ, તા. ર૬ સોમવારે વામન જનમ, તા. ર૭ રામજન્મ અને કૃષ્ણ જન્મ, તા. ર૮ ગોવર્ધન ઉત્સવ, તા. ર૯ ના રૂક્ષ્મણી વિવાહના દિવસે માધાપરથી ઓખા ઠાકોરજીની જાન આવશે. તથા તા. ૩૦ ના સવારે ૧૧ વાગ્યે કથા વિરામ રહેશે. તથા દરરોજ રાત્રીના સંતવાણી કાર્યક્રમમાં કલાકારો ભજનની રમઝટ બોલાવશે. તો આ જ્ઞાનયજ્ઞ સાથે કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત ખારવા સમાજનું ભાવ ભર્યુ આમંત્રણ છે.

(11:56 am IST)