Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મીઠાપુર સુરજકરાડીમાં બીએસએનએલની સેવાઓ બંધ થતા લોકો પરેશાન

મીઠાપુર, તા., ર૬: ઓખા મંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર સુરજકરાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી બીએસએનએલની સેવાઓ ખોરવાઇ જવાની બીનાઓ બનતી રહે છે. આ વખતે પણ ગત ગુરૂવાર સવારથી જ અચાનક આ સેવાઓ બંધ થતા ફરી પાછી આ સેવાઓ કાર્યરત કરવા માટે આ લોકોને શનીવારની સાંજ થઇ ગઇ હતી. આ સમય દરમ્યાન જામનગર હેડ ઓફીસનો સંપર્ક સાધતા દર વખતની જેમ એક જ જવાબ મળે છે કે કેબલ કપાઇ ગયો છે આને કારણે લોકોની હાલાકી વધી ગઇ છે. હવેઆવુ જ બને રાખશે કે બીએસએનએલ પોતાની સેવાઓ સુધારશે તે મોટુ પ્રશ્નાર્થ ચિન્હ છે. (૪.૨)

 

 

(11:51 am IST)