Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પોરબંદર શારદા હોલનો દ્વિતીય વર્ષમાં પ્રારંભ

 પોરબંદર શારદા નંદલાલ હોલના દ્વિતીય વર્ષમાં પ્રવેશના સમારોહનું આયોજન સત્યનારાયણ મંદિરના સહયોગથી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા મહિલા સભ્યોએ ટ્રસ્ટી ડો. સુરેખાબેન શાહના જન્મ દિવસનું આયોજન કર્યું. પાર્ટીવેર સાડી સ્પર્ધા તથા જન્મદિન સંદેશની લેખીત સ્પર્ધા યોજાઇ હતી. કસ્તુરબા સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી ભરતભાઇ માખેચાએ જણાવ્યું કે ઓછા દર, એસીની સગવડ અને શહેરની મધ્યે હોવાથી શારદા નંદલાલ હોલની ડિમાન્ડ સારી રહે છેે. કસ્તુરબા ફાઉન્ડેશનના પ્રમુખ નિતાબેન આયોજન બદલ સંતોષ વ્યકત કર્યો હતો. કસ્તુરબા મહિલા મંડળના પ્રમુખ ઇલાબેન ઠક્કરે આયોજનની સર્વ સભ્યોએ નોંધ લીધી. સંચાલન સુ.શ્રી. પુષ્પાબેન જોશીએ તેમની આગવી શૈલીથી કર્યુ હતું. આર.ડી.સી. મહેશભાઇ જોશીએ તેમની પ્રેરણાત્મક હાજરી આપી. સમારંભમાં પદુભાઇ રાયચુરા, ડો. જયેન્દ્ર કારીયા, ડો. આનંદ કારીયા, ડો. જયદીપ શાહ, ડો. નયન જેઠવા, ભરતભાઇ રાજાણી, અશોકભાઇ રાડીયા, અનીલભાઇ કારીયા, મુકેશભાઇ દતા, ડો. ગાંધી, દિલીપભાઇ ગાજરા, હિરલબેન જાડેજા, ચેતસાબેન તીવારી, કલવર સાહિત્ય ટ્રસ્ટના સભ્યો વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી જન્મદિનની કેક કાપવામાં આવી હતી તે તસ્વીર.(૧.૧૦)

(11:49 am IST)