Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કરમસદ પાસે બસ સાથે અથડાતા બન્ને વાહનો બળીને ખાખઃ વેગનઆર કાર ચાલકનું મોત

કાર ડિવાઈડર ઠેકીને ગારીયાધારની સાંઈ દર્શન લકઝરી સાથે અથડાઈને સળગીઃ બસ પણ સળગી ગઈ

ગારીયાધાર, તા. ૨૬ :. ગારીયાધારથી સુરત ચાલતી સાંઈ દર્શન બસ ગઈકાલે રાત્રીના આણંદ નજીક વિદ્યાનગર-કરમસદ રોડ વચ્ચે બસ સાથે કાર અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત થવા પામ્યુ હતું.

ગારીયાધારથી સુરત ચાલતી સાંઈ દર્શન ટ્રાવેલ્સની બસ ગઈકાલે વહેલી સવારે સુરતથી ગારીયાધાર તરફ આવતા રાત્રીના ૩ કલાકે વિદ્યાનગર-કરમદસ રોડ વચ્ચે કરમસદ બ્રીજ ઉપર પુરપાટ ઝડપે બેફીકરાઈથી સાંઈ દર્શન ટ્રાવેલ્સની ગાડી સાથે અથડાવી દેતા બન્ને ગાડીઓ બળીને રાખ થઈ જવા પામી હતી. જેમાં વેગનઆર ગાડીના અજાણ્યા વાહન ચાલકનું તેની જ ગાડીના બ્લાસ્ટથી બળીને મોત થયુ હતું.

જેની વિદ્યાનગર પોલીસ મથક પર ગારીયાધારના તુષારભાઈ ભગવાનભાઈ ખસીયા (ઉ.વ. ૨૪) દ્વારા વેગનઆરના અજાણ્યા વાહન સામે ફરીયાદ આઈપીસી કલમ ૩૦૪ (અ), ૨૭૯, ૪૨૭, એમવીએફ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધાવી હતી. જેની તપાસ વિદ્યાનગર પીએસઆઈ ડી.બી. ભુંડા દ્વારા હાથ ધરવામાં આવી. જેની સમગ્ર માહિતી પીએસઓ-એએસઆઈ બાબુલાલ દ્વારા જણાવાઈ હતી.(૨-૭)

 

(11:38 am IST)