Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

આઠ માસ અગાઉ પરણેલી ડેડકીયાળી ગામની પરિણીતાનો ધનતેરસે આપઘાત

બદનામીની બીકે ગળાફાંસો ખાધો

જુનાગઢ તા. ર૬: મેંદરડા તાલુકાનાં દેવગઢ ગામની શ્રધ્ધા નામની યુવતિના લગ્ન આઠ માસ અગાઉ મેંદરડાનાં ડેડકીયાળી ગામનાં પ્રકાશ ઉર્ફે પાર્થ તગમડીયા સાથે થયેલ.

ર૩ વર્ષીય શ્રધ્ધાએ ગઇકાલે રાત્રે પતિના ઘરે સાડી વડે પંખા સાથે લટકીને ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગેની જાણ થતા મેંદરડા પોલીસે દોડી જઇ પરિણીતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક શ્રધ્ધાને અગાઉ દિનેશ દેવાભાઇ વાઢેર સાથે પ્રેમ સબંધ હતો અને બંને ભાગી પણ ગયા હતા બાદમાં પતિ સાથે પરત આવી ગઇ હતી. આ બાબતની સમાજમાં વાતો થશે અને બદનામી થશે તેવી બીકથી આપઘાત કરી લીધો હતો.

(2:53 pm IST)