Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સાવરકુંડલામાં ઇંગોરીયાની લડાઇ હવેથી કોલેજના મેદાનમાં રમાશે : શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય

સાવરકુંડલા, તા. ર૬ : આવતીકાલ રવિવારના રોજ દિવાળીનો તહેવાર હોવાથી સાવરકુંડલા શહેરીજનો પોતાની પરંપરા મુજબ ઇગોરીયાની લડાઇ લડી  દિવાળીના પર્વની ઉજવણી કરતા હોય છે, તે ઇગોરીયાની લડાઇ હવેથી કોલેજના ગ્રાઉન્ડમાં શાંતિ સમિતિની મીટીંગમાં નક્કી કરવામાં આવેલ હતું.

દિવાળીનો તહેવાર કોમી એકતા અને ભાઇચારાની લાગણી વચ્ચે યોજવાની ડીવાયએસપી ચૌધરીએ સુચના આપવામાં આવેલ હતી તેમજ સીટી પીઆઇ વસાવાએ તહેવારને અનુલક્ષીને જરૂરી સુચના આપી હતી.

આ શાંતિ સમિતિની મીટીંગમાં નગરપતિ વિપુલ ઉનાવા, મહેશ સુદાણી, મહેશ મશરૂ, મહેશ સુદાણી, રાજુભાઇ દોશી, રાજુભાઇ શીંગાળા, ઇરફાન કુરેશી, અજીત જાખીયા, હરીભાઇ સગર, ધર્મેન્દ્ર ચૌહાણ, ધર્મેન્દ્ર મહેતા, જયસુખ નાકરાણી, ઇકબાલ ગોરી, સરજુ જમાદાર, પ્રવિણ સાવજ વિગેરે હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ હાજર રહેલ હતાં.

(1:19 pm IST)