Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરેન્દ્રનગરમાં પ્લોટ મુદ્દે યુવકની હત્યા કરનારા ૨ આરોપી ઝડપાયા

વઢવાણ તા. ૨૬: લક્ષ્મીપરામાં રહેતા કમલેશભાઇ વિરમગામીયાએ ઘરની બાજુમાં પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ મારો હોવાનું કહી મનહરસિંહ રવુભાએ બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ મથકમાં કરાયેલ અરજીનુ મનદુૅંખ રાખી મનહરસિંહ રવુભા, વિજય ડાભી, ભુરો મીયાણો અને એક અજાણ્યા શખ્સે તા.૧૧ સપ્ટેમ્બરના રોજ રાતના સમયે ૨૦ વર્ષીય કિશનભાઇ કમલેશભાઇ વિરમગામીયાને માર માર્યો હતો. જેમાં કિશનભાઇને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન તા. ૨૪ના રોજ કિશનભાઇનું મોત થતા મારામારીનો આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવમાં આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોની લાશ નહી સ્વીકારવાની વાતથી પોલીસ અધિકારીઓએ મૃતકના ઘરે ધસી જઇ તાત્કાલીક તેઓને પકડવા ટીમો બનાવી હતી. જેમાં પીઆઇ કે.એચ.ત્રિવેદી, નારણભા ગઢવી, દશરથસિંહ ચિત્રા સહિતનાઓએ મનહરસિંહ રવુભા અને ભુરો મીયાણાને પકડી લીધા હતા. હત્યામાં વપરાયેલ હથીયારો કબજે કરવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.

(1:09 pm IST)