Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

જિનશાસન શિરોમણી , તપચક્ર ચક્રવર્તી , 54 -54 વર્ષીતપ ના આરાધક અચલગચ્છાધિપતિ પ.પુ.આ.ભ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા કાળધર્મ પામ્યા

 રાજકોટ:   પ.પુ.આ.ભ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા  પોતાના આ ભવ નો 89+3 વર્ષ નું આયુષ્ય પૂરું કરી અને 64 વર્ષના દીર્ઘ સંયમ જીવન ની આરાધના કરી આજે રવિવાર મધ્યરાત્રી એ 1.15 વાગે નવકાર મંત્ર નું સ્મરણ કરી કચ્છ માં  દેહ ત્યાગ કરેલ છે..

પૂજયશ્રી નું ચાતુર્માસ હાલમાં કચ્છમાં 72 જિનાલય તીર્થ માં હતું.. એમની નિશ્રામાં 350 થી વધારે સાધુ સાધ્વીજી મ.સા દીક્ષિત થયેલ હતા.. 

તેમની અંતિમ પાલખીયાત્રા આજે રવિવારે બપોરે 3.30 વાગે કચ્છ 72 જિનાલય મુકામે શરૂ થશે . અને આ તીર્થ ની ભૂમિ માં જ અગ્નિસંસ્કાર ની વિધિ કરાશે.

(10:41 am IST)