Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

માળિયા તાલુકા મથક હોવા છતાં બસ સ્ટેન્ડ સુવિધાથી વંચિત : બસ સ્ટેશન નિર્માણ માટે માંગ : સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી :માળિયા (મી) તાલુકો મથક હોવા છતાં અહી બસ સ્ટેન્ડની સુવિધા ના હોય જેથી બસ સ્ટેશનનું નિર્માણ કરવાની માંગ સાથે સંસ્થાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
  ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ રજૂઆત કરી જણાવ્યું છે કે માળિયા ખાતે બસ સ્ટેશન નિર્માણ કરવા અગાઉ પણ રજૂઆત કરી હતી માળિયા ખાતે મોટું બસ સ્ટેશન હતું જેનું નિર્માણ વર્ષ ૧૯૮૦ માં કરાયું હતું બાદમાં વર્ષ ૨૦૦૧ ના ભૂકંપમાં બસ સ્ટેશન સંપૂર્ણ નાશ પામ્યું છે અને આજ સુધી માળિયા ખાતે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું નથી
  મળિયા(મી.) એ તાલુકા મથક છે. તાલુકા લેવલની ઘણી કચેરીઓ તેમજ ન્યાય કોર્ટ માળિયા (મી.) ખાતે આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. જેથી માળિયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તે બાબતે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે

(10:37 pm IST)