Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિવાદોથી ઘેરાયેલા કે.રાજેશની ગણત્રીના દિવસોમાં ફરી બદલી થઈ!

રાજકોટ : સુરેન્દ્રનગરના કલેકટર અને વિવાદોથી ઘેરાયેલા આઈએએસ ઓફીસર શ્રી કણકીપતિ રાજેશ (કે.રાજેશ)ની ગણત્રીના દિવસોમાં ફરી બદલી કરવામાં આવી છે. તેમની બદલી રાજયના જોઈન્ટ સેક્રેટર લો એન્ડ ઓર્ડર જેવા ઓછા મહત્વના ગણાતા જગ્યાએ થઈ હતી. હવે તેમની બદલી જોઈન્ટ સેક્રેટરી, જી.એ.ડી. (જનરલ એડમીનીસ્ટેશન ડીપાર્ટમેન્ટ) (એનઆરઆઈ અને આર્ટ) તરીકે કરવામાં આવી છે.

તાજેતરમાં ૭૭ આઈએએસ ઓફીસરોની બદલીના ઘાણવામાં તેમને જો. સે. લો એન્ડ ઓર્ડર તરીકે મૂકવામાં આવેલ. ગણત્રીના દિવસોમાં જ ફરી તેમની બદલી કરી ખૂબ ઓછા મહત્વના ગણાતા જી.એ.ડી.માં મૂકી દેવામાં આવતા ભારે ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં તેઓ કેટલાક વિવાદોમાં પણ આવી ગયાની ચર્ચા છે.

(3:22 pm IST)