Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જામનગરમાં રર.૫૦ લાખના દાગીના-રોકડની ચોરી

જામનગરમાં ઓશવાળ કોલોનીના મહેશ્વરી પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે તસ્કરોએ ત્રાટકી સોનાચાંદીના દાગીના અને રોકડ  મળી 22.50લાખની ચોરી કરી ગયાનું સામે આવતા પોલીસે દોડી જઇ તપાસ આદરી છે. તસવીર:કિંજલ કારસરીયા, જામનગર

જામનગરમાં ઓસવાળ કોલોની શેરી નં. ૬ સુમેર કલબ રોડ મહાવીર મકાનની સામે રહેતા જગદીશભાઇ રામેશ્વરલાલ બાલડી (મહેશ્વરી વૈષ્ણવ) પરીવારજનો સાથે નડીયાદ લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રીના તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા અને રર.પ૦ લાખના દાગીના તેમજ રોકડની ચોરી કરીને નાસી છુટયા હતા. તસ્કરોએ મકાનના બે રૃમના દરવાજા તોડી ૯૭ તોલા સોનાના દાગીના કિંમત રૂ. ર૦.૮૦ લાખ અને રોકડ રૂ. ૧.૭૦ લાખ મળી કુલ રૂ. રર.પ૦ લાખની ચોરી કરી જતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જગદીશચંદ્ર બાલડીએ ફરીયાદ કરી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

(7:43 pm IST)