Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગીર સોમનાથ સ્વૈચ્છીક સંસ્થા સેવા મંડળની રચના : પ્રમુખપદે બિનહરીફ

પ્રભાસપાટણ તા. ૨૬ : પ્રભાસપાટણ - સોમનાથમાં આવેલ રાજ આશ્રમ શાળામાં ગીર સોમનાથ જીલ્લાનું સ્વૈચ્છીક સંસ્થાઓ છાત્રાલયો આશ્રમ શાળાઓનું સોમનાથ સ્વૈચ્છીક સંસ્થા સેવા મંડળની રચના થતા જીલ્લાના સ્વૈચ્છીક સંસ્થા મંડળના પ્રમુખ તરીકે સંસ્થાના વહીવટી અનુભવી એવા અરજણભાઇ ભજગોતરની બિનહરીફ સર્વાનુમતે નિયુકતી કરાઇ છે.

આ નિયુકતી માટે સોમનાથમાં રાજ આશ્રમ શાળામાં બેઠક મળેલ હતી. જેમાં ગીર સોમનાથ જીલ્લાના અનુસુચીત જાતિ કલ્યાણના નાયબ નિયામક જે.કે.ચાવડાનું સન્માન કર્યુ હતુ.

જીલ્લાની છાત્રાલયો, આશ્રમ શાળાઓને ભૌતિક સુવિધાઓ સરકાર દ્વારા તથા અમુક એજન્સી ખાતાઓ દ્વારા અનુ.જાતીની ગ્રાન્ટો હિસ્સો વાપરવાનુ થાય તે માંથી પણ સહાય મદદ મેળવી સંસ્થાઓ વ્યવસ્થિત થાય તેમજ બાળકોને સાધન સામગ્રી દ્વારા સારી  સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરીશ.

આ તકે સંસ્થાના દરેક પ્રતિનિધિઓએ નવા પ્રમુખ અરજણભાઇ ભજગોતરને આવકારેલ. આભારવિધિ મંત્રી જીતુભાઇ દામોદરએ કરેલ. તેમ સંસ્થાના પ્રતિનિધિ દિનેશભાઇ ભજગોતરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:02 pm IST)