Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રતનપર ખાતે જિનાલય-ઉપાશ્રય-ભોજનશાળાનું ખાતમુર્હુત

 રતનપર ગામે મોરબી હાઇવે ટચ શ્રીલક્ષમા અમી સ્મૃતિ સંસ્થાન નામના તીર્થનાં નિર્માણરૂપ જિનાલય, બે ઉપાશ્રય અને ભોજનશાળાનું ખાતમુર્હત શુક્રવાર તા.૨૨નાં અને જિનાલયનું શિલાસ્થાપન થયું હતું. રવિવાર તા.૨૪નાં તીર્થના પ્રેરણાદાતા પ.પૂ. આચાર્ય શ્રી ધર્મધ્વજસુરીશ્વરજી મ.સા. તથા પૂ. બેન.મ. અતુલયાશાશ્રીજી મ.ના  ઉપદેશથી નિશ્રામાં મોરબી નિવાસી યોગેશભાઇ જયસુખલાલ સંઘવી (હાલ ચેન્નાઇ-મુંબઇ) એ સ્વદ્રવ્યથી જિનાલય-ઉપાશ્રય અને ભોજનશાળાનું નિર્માણ કરવાનો ઉલ્લાસ ઉત્સાહપુર્વક લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વીમલભાઇ ધામી, પ્રવિણસિંહ ઝાલા (રતનપર), જયેન્દ્રભાઇ ઝવેરી, જશુભાઇ (વાંકાનેરવાળા), નીલેશભાઇ મહેતા, પારસ મોદી તથા બોમ્બે અને મદ્રાસનાં ભાવિકો હાજર રહયા હતા. તેમ પારસ મોદી (મો. ૯૮૨૪૫૦૨૩૪૭)  તથા જયેન્દ્રભાઇ સંઘવી (મો. ૯૮૨૧૦ ૭૬૧૫૧) એ જણાવેલ.

(11:42 am IST)