Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સાવરકુંડલાઃ વાવાઝોડામાં નુકશાન થયેલા અસરગ્રસ્તની મુલાકાતે કોંગ્રેસી આગેવાનો

સાવરકુંડલાઃ તોકતે વાવાઝોડાના કારણે નુકશાન થયેલા વિસ્તાર ની મુલાકાત લઈ સ્થળ ઉપર નિરીક્ષણ કરી જરૂરિયાતમંદોને સહાય કરી યોગ્ય મદદ કરી હતી. તોકતે વાવાઝોડામાં રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અને અતિ ભારે નુકશાનના કરણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તો પાસે રૂબરૂ જઈ સ્થળ પર સ્થિતિનું સર્વે કરી જલ્દીમાં જલ્દી સહાય મળી રહે તેવી રજુઆત કરવામાં આવશે તેવી ખત્રી આપી હતી તેમજ પીડિતોને સ્થળ પર મદદ કરી હતી અને તમામ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અમરીશભાઈ ડેર ટીકુંભાઈ વરૂ વિગેરે કોંગ્રેસી આગેવાનોએ મુલાકાત લીધી હતી.

(1:13 pm IST)