Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

જામજોધપુરના ધુનડાના સંત પૂ. જેન્તિરામબાપાના પુત્ર ભાવેશભાઈને શોકાંજલિ આપતા વિજયભાઈ રૂપાણી

ભાવેશભાઈની અણધારી વિદાય આઘાતપૂર્ણઃ તેઓ લોકોને સત્યનો રાહ ચિંધનાર હતા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૬ :. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધુનડાના સંત પૂ. જેન્તિરામબાપાના પુત્રને શોકાંજલિ આપી જણાવ્યુ હતુ કે સ્નેહી શ્રી પૂ. જેન્તિરામબાપા નમસ્કાર આપના પુત્ર શ્રી ભાવેશભાઈ શીલુ (શાસ્ત્રીજી)ના અવસાનના સમાચાર જાણી શોકની લાગણી અનુભવુ છું.

આધ્યાત્મિક માર્ગની વાટ પકડી અન્યને પણ સત્યનો રાહ ચિંધનાર સ્વ. ભાવેશભાઈની અણધારી વિદાય આઘાતપૂર્ણ છે. કંધોતરની વિદાય ટાણે અંતઃકરણપૂર્વક શોકાંજલિ સાથે આપના સમગ્ર પરિવારને સાંત્વના પાઠવું છું. સદ્ગતનો આત્મા શાંતિ અને મુકિત પ્રાપ્ત કરે તેવી પ્રભુને પ્રાર્થના...

(12:30 pm IST)