Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જુનાગઢમાં પ્રેમસંબંધમાં રાજકોટ ના નટુ કુવરીયા ઉપર દંપતિ સહિત ૩ નો હુમલો

જુનાગઢ તા. ૨૬: જુનાગઢમાં રાજકોટના યુવાન પર ઘંટેશ્વરના દંપતિ સહિત ૩ શખ્સોએ હુમલો કરી ધમકી આપી હોવાનું જાણવા મળેલ છે.

 આ બનાવની વિગતો એવી છે કે, રાજકોટમાં જામનગર રોડ પર આવેલ ૨૫ વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા નટુ દિનેશભાઇ કુવરીયા (ઉ.વ. ૨૫) અને ઘંટેશ્વરના અરવિંદ રાઠોડ મારવાડીને ધરતી નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો.

જોકે અરવિંદ રાઠોડે ધરતી સાથે લગ્ન કરેલ છે.

દરમ્યાન બંન્ને જણા ગત તા. ૨૪ની રાત્રી જુનાગઢમાં ગાંધી ચોક ખાતે ભેગા થઇ ગયા હતા અને એકબીજાને ચા પીવાની સલાહ કરેલ. આ દરમ્યાન નટુએ અરવિંદની પત્ની ધરતીને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેલ.

જેનાથી ઉશ્કેરાઇ જઇને અરવિંદ તથ  ધરતી અને ધવલ નામના શખ્સે ઝપાઝપી કરી બાદમાં નટુ કુવરીયા ઉપર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.

જેમાં નટુ દિનેશભાઇ લોહીલુહાણ થઇ ગયો હતો. બનાવ બાદ ત્રણેય જણા ધમકી આપીને નાસી ગયા હતા.

આ અંગે બી ડીવીઝન પોલીસે યુવાનની  ફરીયાદ લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧.૧૨)

(12:37 pm IST)