Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જામનગરના હર્ષદપુર નજીક કુનરીયા ગામે શિવુભા ભટીની હત્યા: 8 થી 10 જેટલા શખ્શોએ કર્યો હુમલો

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શિવુભાને સારવાર માટે જી.જી હોસપીટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો

જામનગરના હર્ષદપુર નજીક આવેલા કુનરીયા ગામે શિવુભા ભટી નામના આધેડ પર ૮ થી ૧૦ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શિવુભાને સારવાર માટે જી.જી હોસપીટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન જ શિવુભા આધેડનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે અનેક હોસ્પિટલ દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. તસવીર: કિંજલ કારસરીયા, જામનગર

 

(4:48 pm IST)