Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જેતલસરની સગીરાની હત્યાના મામલે મામલતદારને આવેદન

 ( ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૬ : જેતલસરની સગીરાની સરાજાહેર હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે

જેતપુરના જેતલસર ગામમાં રાજકીય આગેવાનોનું આવાગમન વધ્યું છે. ત્યારે જેતલસર ગામમાં આ ઘટના બાદ કેવો માહોલ છે તે જાણવા મળ્યું કે હજુ પણ ગામમાં દહેશત અને ભયનો માહોલ છે લોકોમાં હજુ પણ ડર ફેલાયેલો છે. જેતલસરની સગીરાની સરાજાહેર હત્યાના આરોપીની ધરપકડ પણ થઇ ચૂકી છે છતાં લોકો કહે છે કે કેસ ઝડપથી પુરો થવો જોઇએ તો જ અમને ન્યાય પર વિશ્વાસ બેસે ત્યારે જસદણ આમઆદમી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:33 am IST)