Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

અમરેલીના સરંભડામાં લીલાબેન દાફડાએ અગ્નિસ્નાન કરીને આયખુ ટુંકાવી લીધું

માનસિક તકલીફને કારણે પગલું ભર્યુઃ રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: અમરેલીના સરંભડા ગામે રહેતાં વણકર મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સરંભડા રહેતાં લીલાબેન ગોવિંદભાઇ દાફડા (ઉ.૪૩) નામના મહિલાએ ગઇકાલે સવારે આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી અમરેલી જાણ કરી હતી.

આપઘાત કરનાર લીલાબેનના પતિ ગોવિંદભાઇ વાલાભાઇ છુટક મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મગજની તકલીફથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. અમરેલી પોલીસ વધુ તપાસ કરે છે.

(11:59 am IST)