Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જેતપર રોડ પરના સિરામિક એકમોમાં પાવર સપ્લાયના ધાંધિયાથી રોષ

મોરબી તા. ૨૬ : મોરબી જેતપર રોડ ઉધોગકાર મંડળ દ્વારા પીજીવીસીએલની સર્કલ ઓફીસના એમડીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જેતપર રોડ પર ૧૨૦ સિરામિક એકમ તથા ઘણા મોટા ઉધોગ આવેલા છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રોડ પર એક જ મહિનામાં પાંચથી છ વખત પાવરકાપ આવે છે અને બે થી ત્રણ કલાકનો હોય છે અને અઠવાડિયામાં નવથી દસ વખત તો ટ્રીપીંગ હોય છે જેથી પાવરકાપને પગલે ઉધોગોને નુકશાની સહન કરવી પડે છે તેમજ પાવર કાપને પગલે ૨-૩ લાખનો ડીઝલ ખર્ચ પણ આવે છે જથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.(૨૧.૨૦)

 

(1:05 pm IST)