Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મોરબીના પ્રેમજીનગર ગામે પૈસા બાબતે પતિ પત્ની વચ્ચે ઝધડો થયો : છરીના ઘા મારી પત્નીની હત્યા.

મોરબીના પ્રેમજીનગર ગામે પતિ એ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે જે મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર ગામેં રહેતા રામજીભાઈ રાણવા તથા તેના પત્ની ગંગાબેન વચ્ચે ગત રાત્રીના ઝધડો થયો હોય દરમિયાન રામજીભાઈ એ પત્ની ગંગાબેનને છરીના ઘા મારી ઈજા કરી હોવાથી તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હોય પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી આવી હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

  બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા, ૨૫ ના રોજ કડીયાકામ પર ગયા હોય અને બાદમાં સાંજના સુમારે રફાળેસ્વર ચોકડી નજીક કોન્ટ્રકટરે તેને મજુરીના ૨૦૦૦ રૂપિયા આપ્યા હોય જેમાંથી ૨૦૦ રૂપિયા રાખીને બાકીના પૈસા તેને પિતા રામજીભાઈને આપ્યા હતા બાદમાં પિતા રામજીભાઈ ઘરે જતા રહ્યા હોય ત્યાર બાદ જીતેન્દ્ર ઘરે ગયો ત્યારે તેની માતા ગંગાબેન લોહીથી લથપટ હાલતમાં હોવાથી તેને પૂછતા પિતા રામજીભાઈ એ આવીને પુત્રના ગળે છરી રાખી અને માતા સાથે ઝધડો થયો હોય તેમ કહીને ભાગી ગયા હતા તો બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં ગંગાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોય પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો

તો વધુ માહિતી મળી હતી કે આરોપી રામજીભાઈ મૂળ રામપર ગામના રહેવાસી છે જ્યાં તેનું મકાન આવેલ હતું તે ૧૫ દિવસ પહેલા વેચી નાખેલ હોય જેના પૈસા બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પતિ એ પત્નીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી
  આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો આરોપી રામજીભાઈને ઝડપી પાડવા પણ ચક્રોગતિમાન કર્યા છે.

(10:39 pm IST)