Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિવસે જામનગરના કાલાવડમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ - ભાજપના અગ્રણી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિતિ

જામનગર : જામનગરના કાલાવડમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિવસે ખાસ આયોજિત કાર્યક્રમમાં ભાજપના અગ્રણી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતો માટે રૂપિયા ૧૮૦૦૦ કરોડના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભવામાં આવનાર કાર્યો થકી ખેડૂતો માટે નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે તેમ જણાવતા ખેડૂતોએ પણ સરકારના ખેડૂતલક્ષી અભિગમને આવકાર્યો હતો.(અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:44 pm IST)