Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોરબી : ઉમિયા મંદિરે બ્રિજેશભાઇનું સન્માન

મોરબી : ઊંઝાના ઉમિયા મંદિર ખાતે ગત વર્ષે લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો હતો જે અતીતના સંભારણાના પ્રથમ વર્ષે ઊંઝાના ઉમિયા મંદિરમાં મોરબીના ગોવિંદભાઈ વરમોરાના માતૃશ્રી ગૌરીબેન ગણેશભાઈ પરમાર આયોજિત નવચંડી હવનમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી મોરબીના ભાવિકો વતી શુભેચ્છા પાઠવી હતી. આ તકે શ્રી ઉમિયા મંદિર સંસ્થાન, ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલએ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તાજેતરની પેટા ચુંટણીમાં સાંપડેલ વિજય બદલ બહુમાન કરી આશીર્વાદરૂપે માં ઉમિયાની ચુંદડી, શ્રીફળથી સન્માન કર્યું હતું તેમજ માં ઉમીયાના આશીર્વાદથી જ સેવાના વધુને વધુ કાર્યો બ્રિજેશ મેરજા દ્વારા થતા રહે તેવી ભાવના વ્યકત કરી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞના યજમાન ગોવિંદભાઈ વરમોરા, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી કે પટેલ, જમનાદાસ પટેલ, ઊંઝા મંદિર મહિલા સમિતિ પ્રમુખ અને સરદારધામના ઉપપ્રમુખ ડો. જાગૃતિબેન પટેલ, ઝાલાવાડ કડવા પટેલ સમાજના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી બ્રિજેશભાઇનું સન્માન કરાયુ તે તસ્વીર.

(12:45 pm IST)