Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જાફરાબાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઝંઝાવાતી પ્રચાર કરશે : કાલે GHCL ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધશે

રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો સભામાં ઉપસ્થિત રહેશે : કાર્યકરો, આગેવાનોમાં ઉત્સાહ

અમરેલીના જાફરાબાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ  આવતીકાલે ઝંઝાવાતી પ્રચાર કરશે. અમિતભાઈ  શાહની મુલાકાતને લઇ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. GHCL ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ જંગી સભા સંબોધવાના છે.

 અમિતભાઈ  શાહના આગમન પહેલા કાર્યકરો, આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો આ સભામાં ઉપસ્થિત રહેવાના છે. અમિતભાઈ શાહની મુલાકાતને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

 

(8:11 pm IST)