Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

માળિયામાંથી સગીરાનું અપહરણ કરનાર અમરેલીના કલ્યાણપુરથી ઝડપાયો

મોરબી તા. ૨૫ : માળિયા પંથકમાં સગીરા અપહરણ કેસ મામલે તપાસ ચલાવતી સીપીઆઈ ટીમે અપહરણ આરોપીને અમરેલી જીલ્લાના કલ્યાણપુર ગામની સીમમાંથી ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા મીંયાણા તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી દિનેશ સીરદારસિંહ ભુરીયા રહે મૂળ અલીરાજપુર એમપી વાળો અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના કલ્યાણપુર ગામે હોવાની બાતમી મળી હતી જેથી સીપીઆઈ ટીમના અનંતરાય પટેલ, વિક્રમસિંહ ભાટિયાની ટીમે અમરેલી જીલ્લામાંથી આરોપી દિનેશ સીરદારસિંહ ભુરીયાને ઝડપી લઈને તેમજ ભોગ બનનારને શોધી કાઢી હતી.

(12:56 pm IST)