Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ધોરાજી : હરિદ્વારામાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહજી રાવતને મળ્યા

ધોરાજી : ખેડૂત નેતા પિતા વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્વપ્નો સાકાર કરવા અને તેમના અધુરા કાર્ય પૂર્ણ કરવા માટે જયેશભાઇ રાદડીયાએ નાથદ્વારા અને દ્વારકામાં આધુનિક સુવિધા યુકત સમાજ ભવના નિર્માણ કરી ચૂકયા છે અને હરીદ્વાર અને મથુરામાં સમાજ ભવન માટે જમીન ખરીદી છે અને ટુંક સમયમાં હરિદ્વારમાં આધુનિક સુવિધા યુકત સમાજ ભવનનું નિર્માણ કાર્ય કરવા અને વિઠલભાઇ રાદડીયાની સ્વપ્નાઓને સાકાર કરવા જયેશભાઇ રાદડીયાએ ઉતરાખંડના મુખ્યમંત્રીશ્રી ત્રિવેન્દ્રસિંહજી રાવતને મળેલ અને ટૂંક સમયમાં હરિદ્વારની પ્રવિત્ર ભૂમિમાં સપૂર્ણ સુવિધા સભર રૂમો અને સંપૂર્ણ રૂમો આધુનિક કેન્ટીનની સુવિધાઓ અને વિશાળ સંત્સંગ હોલ વગેર સુવિધાઓ સાથે સમાજ ભવનના નિર્માણ કરવા માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા હરિદ્વાર ગયેલ હતા.

(12:22 pm IST)