Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ચેરમેન ડો.બોઘરના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અધિકારીઓની બેઠક

  જસદણ : જસદણ : સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનાઙ્ગ અધ્યક્ષ ડો.ભરતભાઈ કે. બોદ્યરાની અધ્યક્ષતામાંઙ્ગ સિંચાઈ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં ગાંધીનગરથી સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેરઙ્ગ શ્રી રાવલ તથા રાજકોટ ઝોનના અધિક્ષક તથા રાજકોટ, જામનગર,ઙ્ગ મોરબી,ઙ્ગ સુરેન્દ્રનગર અનેઙ્ગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યપાલક ઇજનેરો તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરો હાજર રહ્યા હતા. રાજકોટ સર્કિટ હાઉસના સભાખંડમાં યોજાયેલી આ મિટિંગમા ચેકડેમ રીપેરીંગ તથા નવા ચેકડેમોના કામોની રજુઆતોનાઙ્ગ સર્વે તથા પ્લાન એસ્ટીમેન્ટ ઝડપથી થાય અને કામો સમયસર પૂરા થાય તથા સિંચાઈ ને લગતાઙ્ગ પ્રશ્નોની વિગતવારઙ્ગ ચર્ચા કરી જળસંચયની કામગીરીઙ્ગ ખૂબ ગતિથીઙ્ગ આગળ વધેઙ્ગ તે અંગે ચેરમેન ડો. ભરતભાઇ બોધરાએ માર્ગદર્શનઙ્ગ આપ્યું હતું.(તસ્વીર-અહેવાલ : ધર્મેશ કલ્યાણી, જસદણ)

 

(12:16 pm IST)