Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

વિસાવદરના પોસ્ટ કર્મચારી યાસીનખાન પઠાણનાં માતૃશ્રી ઉમરાહ શરીફની સફર-જીયારત અર્થે મક્કા-મદિના રવાના : જ્ઞાતિજનો-પરિવાર દ્વારા દુઆઓ સાથે વિદાય

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર પોસ્ટ ડીપાર્ટમેન્ટના કર્મચારી શ્રી યાસીનખાન પઠાણના માતૃશ્રી તથા મર્હુમ હસનખાન મહંમદખાન પઠાણના ધર્મપત્નિ અમીનાબેન હસનખાન પઠાણ (ઉ.વ.80) ઉમરાહ શરીફની જીયારત-શફર અર્થે મક્કા-મદિના શરીફ રવાના થતા જ્ઞાતિજનો-પરિવારે દુઆઓ-મુબારકબાદ સાથે હર્ષ અને ખુશી સાથે વિદાય આપી હતી.

અમીનાબેન સાથે તેમના સુપુત્ર મહેબૂબખાન પઠાણ-પરિવાર, ઇકબાલભાઇ સાલમભાઇ શેખ-પરિવાર, કાદરભાઇ કુરેશી-પરિવાર પણ ઉમરાહ શરીફની સફર-જીયારત અર્થે રવાના થયો હતો.
ઉમરાહ શરીફની સફર-જીયારત અર્થે  મક્કા-મદિના શરીફ જઇ રહેલા અમીનાબેન સહિત સૌને "પઠાણ પરિવાર" તથા વિસાવદર સીપાઇ-મુસ્લિમ સમાજના પ્રમુખ રહીમભાઇ જમાલભાઇ તથા સમસ્ત સીપાઇ સમાજે શુભેચ્છાઓ સાથે ખુશીથી વિદાય આપી સૌના માટે દુઆઓ માટે ગુજારીશ કરી હતી.

(11:42 am IST)