Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગર શહેર-ગ્રામ્‍યમાં કોરોનાના 80 નવા કેસઃ 63 દર્દીઓ સાજા થતા હોસ્‍પિટલમાંથી રજા અપાઇઃ અત્‍યાર સુધીમા કુલ 48503 સેમ્‍પલની ચકાસણી

જામનગરઃ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોરોનાના શહેરના 6 તથા ગ્રામ્‍યના 74 મળીને  કુલ 80 નવા કેસ આવ્‍યા છે અત્‍યાર સુધીમા શહેર-ગ્રામ્‍યમાં  કુલ 63 દર્દીઓ સાજા થતા હોસ્‍પિટલમાંથી રજા અપાઇ છે. અત્‍યાર સુધીમા કુલ 48503 સેમ્‍પલની ચકાસણી કરાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાની જાહેર કરેલ વિગતોમાં અત્‍યાર સુધીના લેવાયેલા કુલ સેમ્‍પલ 21492, ટોટલ એકટીવ કેશ 395, આજના આવેલા નવા કેસ 74, આજના થયેલા કુલ ડિસ્‍ચાર્જ 50 તથા અત્‍યાર સુધી કોરોનાથી થયેલા મૃત્‍યુ 14 તથા શહેરમાં કોરોનાથી આજે એકપણ મૃત્‍યુ થયેલ નથી.

જલ્લો જામનગર (ગ્રામ્‍ય) તા.24ના સાંજે 5 કલાક થી તા. 25 ના સાંજના 5 કલાક સુધીની કોરોનાની વિગતોમાં અત્‍યાર સુધી લેવાયેલા કુલ સેમ્‍પલ 27011, ટટલ એકટીવ કેસ 57, આજના આવેલા નવા કેસ 6, આજના થયેલા કુલ ડીસ્‍ચાર્જ 13 આજના કોરોનાથી થયેલા મૃત્‍યુ એક પણ નહી તથા અત્‍યાર સુધી કોરોનાથી થયેલા મૃત્‍યુ 9

(10:20 pm IST)