Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભાવનગરમાં આજે ૩૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : ૩૫ દર્દીઓ કોરોનામુક્ત બન્યા તેમજ ૧ દર્દીનુ અવસાન થયું

જિલ્લામાં નોંધાયેલા ૨,૫૦૮ કેસો પૈકી ૪૮૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૫૦૮ થવા પામી છે.

જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૨૧ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના રતનપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૪, જેસર ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨ તેમજ ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૩૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૫૦૮ કેસ પૈકી હાલ ૪૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૯૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:45 pm IST)