Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજી ના પીરખાના કુવા ચોક પાસે ભૂગભ ગટર વરસાદી પાણી ના નિકાલ મામલે સ્થાનીક રહીશો એ ચકકાજામ કરી રોષ વ્યક્ત કર્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ના પીરખાના ચોક પાસે સ્થાનીક રહીશો એ ભૂગભ ગટર તથા વરસાદી પાણી ના નિકાલ મામલે તંત્ર વાહકો ને રજૂઆત કરવા છતા નક્કર કાયવાહી નહી કરાતા લોકો મા રોષ યાપી ગયેલ હતો સ્થાનીક રહીશો એ પીરખાનાકુુંવા ચોક પાસે વાહનો રોકી ને ચકકાજામ કરી ને વિરોધ યકત કરાયો હતો.

અગાઉ આ વિસ્તારના રહીશોએ અને દુકાનદારોએ બંધ પાળીને વિરોધ કરી ધોરાજીના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સમયે મામલતદાર એ ખાતરી આપી હતી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ફરી આ વિસ્તારના લોકોએ નવતર પ્રયોગ કરીને વિરોધ કર્યો હતો
 આ સમયે  કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત  ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર  હુકુમતસિંહ જાડેજા  પીએસઆઇ શૈલેષ વસાવા વિગેરે પોલીસે દોડી જઈ ને મામલો થાળે પાડયો હતો.

(4:55 pm IST)