Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગોંડલના રાણસીકીના તળાવમાં ગાબડુ

સુજલામ સુફલામ યોજના અને ગ્રામજનોમાં સહયોગથી બનાવાયુ'તુ : તંત્ર દ્વારા સમારકામ

ગોંડલ, તા. રપ :  રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકી ગામનાં તળાવમાં ગાબડુ પડતા મોટા પ્રમાણમાં પાણી નદીમાં વહી ગયું છે.

રાણસીકી ગામના વિંઝાવડ રોડ ઉપર સુજલામ સુફલામ યોજના અને ગ્રામજનોના સહયોગથી રાજકોટ જીલ્લામાં શ્રેષ્ઠ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જેમાં કોઇ કારણસર ગાબડુ પડતા મોટા પ્રમાણમાં પાણી ''કમતડી'' નદીમાં વહી ગયું હતું.

આ અંગે સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે આ તળાવમાં ગાબડુ પડતા તેની જાણ રાજકોટ જિલ્લા  તંત્રનેે કરવામાં આવી છે. અને તાબડતોબ સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરાઇ છે.

(1:02 pm IST)