Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજી અવેડા લેન શેરીમાં ૩૦ મકાનોમાં પાણી ઘુસતા રોષ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. રપ :.. અવેડા લેન શેરી તરીકે ઓળખાતી શેરીમાં વરસાદને પગલે પાણીનો નિકાલ તથા પાણી ભરાયા હતા અને છેલ્લા આઠ દિવસથી આજુ બાજુના રહીશો એ તંત્રમાં રજૂઆત કરતા કોઇ જવાબ ન આપતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને લેન વિસ્તારમાં આવેલ દરગાહ અને હનુમાનજીના મંદિર અને ઘરોમાં પાણી ઘુસતા લોકો હેરાન - પરેશાન થઇ ગયા હતા આ અંગે નગરપાલીકાના ચીફ ઓફીસરને ફોન કરવા છતા યોગ્ય નીકાલ ન કરાતા લોકોએ મામલતદાર જોલપરાને રજૂઆત કરેલ અને જો આ પાણીનો નિકાલ નહી કરવામાં આવતા અવેડા વાળી લેનના લોકો ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરશે.

(11:51 am IST)