Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જસદણ વીંછીયા પંથકમાં જળાશયો છલકાયા : નદીઓ બે કાંઠે

જસદણઃ જસદણ વીંછીયા પંથકમાં અવિરત મેઘ સવારીને કારણે સુકાભઠ પહેલા જળાશયો અને નદી નાળા છલકાતાં લોકહૈયા પુલકિત બન્યા છે આજે આલણસાગર ઓવરફલો થવાને ચાર ફૂટનું છેટું છે. ઇશ્વરીયા અને કરમાળ ડેમ છલકાઇ ગયા છે. નદીઓ પણ બે કાંઠે વહેતી થઇ છે ત્યારે હજું પણ વરસાદ ચાલુ છે તેથી સાંજ સુધીમાં પાણીની મબલક આવકથી તમામ જળાશયો છલકાઇ જશે.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:46 am IST)