Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

દીવના દરિયામાં નવસારીની બોટ ડૂબી : તમામ ૯ ખલાસીઓનો બચાવ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૫ : દીવના દરિયામાં નવસારીની બોટ ડૂબી જતા આ બોટના તમામ ૯ ખલાસીઓને નજીક રહેલ અન્ય ખલાસીઓએ બચાવી લીધા હતા.

નવસારીની પાર્વતી દેવી નામની બોટ ફીશીંગ દરમિયાન ભારે પવન અને મોજાને લીધે દીવ દરિયામાં પહોંચી ગયેલ હતી. બોટમાં પાણી ભરાય જતાં બોટ ડૂબી ગયેલ હતી. અન્ય બોટના ખલાસીઓએ આ બોટના તમામ ૯ ખલાસીઓને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી હતી. વાયુનંદન સેવા સંસ્થાના જીતુભાઇ બારીયાએ તંત્રને જાણ કરી હતી.

(11:41 am IST)