Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પ્રમુખ તરીકે ડો.કોત્રોડિયા અને ઉપપ્રમુખ તરીકે ઓધાભાઇ પરમાર

ગારીયાધાર નગરપાલીકામાં ભગવો લહેરાવી સતાને આરૂઢ કરતી ભાજપ

ગારિયાધાર તા. રપ :.. ગારીયાધાર નગરપાલીકા ખાતે ભારત જનતા પાર્ટી દ્વારા પોતાનું ભગવો લહેરાવાનો સફળતા મેળવી ૧૭ મતોથી ભાજપાના ડો. પ્રફુલ કોત્રોડિયા પ્રમુખ તરીકે અહીં ઓધાભાઇ પરમારને ઉપપ્રમુખ તરીકે નિયુકતી કરવામાં આવી હતી.

ગારીયાધાર નગરપાલીકાના આજરોજ રોટેશન પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલીકા કચેરી સાથે સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસનાં ૧૪ સભ્યો પૈકીના વિહિપ આપવા સતા ભાવેશભાઇ ગોરસીયા, નજીરમિયા સૈયર અને ધનાભાઇ ધામેલીયા દ્વારા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને મત આપી ન.પા. ખાતે ભાજપનો ભગવો લહેરાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જયારે આ રાજકીય રમતમાં ૧૦ દિવસ ચાલતા દાવપેચમાં કોંગ્રેસના ર સભ્યોને પોતાની તરફ ખેંચવામાં ભાજપ સફળ રહી હતી. અને સતાના સિહાસનનો મુકટ મેળવવામાં સફળ રહી હતી.

(11:45 am IST)