Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભાવનગરમાં જિલ્લામાં ૪૯ કોરોના પોઝિટિવ કેસો : વધુ એક દર્દીનું મોત

જિલ્લામાં નોંધાયેલા ૨,૪૭૨ કેસો પૈકી ૪૮૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરમાં વધુ ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૪૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૭  સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, ઘોઘા ખાતે ૨, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ઉસરડ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના બોરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના પીપરાળી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૪૭૨ કેસ પૈકી હાલ ૪૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૯૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:48 am IST)