Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

વાંકાનેરમાં યુપીના અવિનાશને પગમાં સોજા ચડ્યા બાદ મોત

નસ ચડી જતાં પગ ખેંચ્યોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: વાંકાનેરમાં માટેલ રોડ પર આવેલી કેમરીચ પેપર મીલમાં કામ કરતાં મુળ યુપીના અવિનાશ પ્રદિપભાઇ ચમાર (ઉ.૨૧)ને પગમાં નસ ચડી જતાં તેણે પગ ખેંચીને નસ ઉતારવાનો પ્રયાસ કરતાં પગમાં સોજા ચડી જતાં રૂદ્ર હોસ્પિટલમાં અને બાદમાં મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં તથા ત્યાંથી ગઇકાલે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ વહેલી સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ મોરબી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અવિનાશ ત્રણ ભાઇમાં વચેટ હતો અને ચારેક દિવસ પહેલા જ યુપીથી અહિ કામ કરવા આવ્યો હતો. બનાવથી સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

(12:08 pm IST)