Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જોડિયાના જૂના શિવાલયે ધ્વજારોહણ

જોડિયા : લક્ષ્મીપરા વિસ્તારમાં લાંઘણોની પરિવાર બહુસંખ્યા ધરાવે છે. પરિવારમાં એકતા જળવાઇ રહે તે ઉદ્દેશથી વર્ષો જુનુ નિલકંઠ મંદિરે રૂદ્રાભિષેક તથા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. લાંઘણોની પરિવારના વડા તથા પરિવારમાં નાની બાળાના હસ્તે સંપુર્ણ ધાર્મિક વિધિ જોડીયાના યુવા બ્રહ્મદેવ ઉદયભાઇ શાસ્ત્રીએ સંપન્ન કરાવી હતી. વર્ષોથી નિલકંઠ મહાદેવજીની પુજા અર્ચના ગોસાઇ પરિવાર દ્વારા કરાઇ છે. હાલના પુજારી ધનરાજગીરી ગોસાઇ દ્વારા મંદિરની દેખરેખ સાથે બંને સમયે રૂદ્રાભિષેક તથા આરતી જેવા કાર્યક્રમનો લાભ જોડીયાની ધાર્મિક પ્રજાને અપાવી રહ્યા છે. (તસ્વીર : રમેશ એચ.ટાંક, જોડીયા)

(2:30 pm IST)