Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કોડીનારમાં મામલતદારને આવેદન

કોડીનાર : શિઆ સમુદાય દ્વારા મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પવિત્ર મદિના શહેરમાં આવેલ જન્ન્તુલ બકીસ કબ્રસ્તાનમાં ૧૯૨૬માં સુધી ઇમામો અને અસ્હાબોની મઝારો હતી. ૧૯૨૬માં સઉદી દ્વારા ખંડિત કરેલ આ મઝારો દુનિયાભરના મુસલમાનો માટે મહત્વપુર્ણ સ્થાન હોય, આ મઝારોનું જલ્દીથી પુનઃનિર્માણ કરવાની માંગણી સઉદી સરકાર સામે કરી છે. હાલ યમનની હાલત ખુબ જ ખરાબ હોય, ત્યાં જવાની જરૂરી વસ્તુઓ પણ પહોંચતી ન હોય, યમનમાં મોટી સંખ્યામાં લોકો ભુખમરાનો શિકાર થઇ રહયા હોય ભારત સરકાર યમનનાં હુમલાઓ રોકવા યોગ્ય પ્રયાસ કરે તેવી માંગણી શીઆ સમુદાય દ્વારા કરવામાં આવી છે તે પ્રસંગની તસ્વીર.

(12:12 pm IST)