Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સલાયાનું 10 ખલાસીઓ સાથેનું જહાજ યમનના દરિયામાં સંપર્ક વિહોણું બન્યું :ખરાબ હવામાનને કારણે આતા-એ-ખ્વાજા જહાજનો સંપર્ક તૂટ્યો :શોધખોળ

સલાયાનું જહાજ યમનનાં દરિયામાં સંપર્ક વિહોણુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી આ જહાજ સાથે સંપર્ક સધાયો નથી સલાયાનું આતા-એ-ખ્વાજા નામનું જહાજમાં 10 જેટલા ખલાસીઓ છે. યમનનાં દરિયામાં ખરાબ હવામાનનાં કારણે આતા-એ-ખ્વાજા જહાજ સાથે સંપર્ક ટૂટી ગયો છે. જો કે સુરક્ષા એજન્સીઓ જહાજ સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી છે.

  જહાજ સંપર્ક વિહોણુ થતા 10 ખલાસીઓ સાથે પણ સંપર્ક થઇ શક્યો નથી જેને કારણે તેમના પરિવારનો જીવ અધ્ધર થયો છે. તંત્ર દ્વારા જહાજને શોધી કાઢવાનું પરિવારોને આશ્વાસન આપવામાં આવ્યું છે.

(8:30 pm IST)