Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જયજલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા રઘુકુળભુષણ વિર રાણા જશરાજજીની ૯૬૪મી પુણ્યતિથિ નિમિતે સેવાકાર્યોની હારમાળા

 જયજલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ જામનગર દ્વારા વિર દાદા જશરાજજીની ૯૬૪ની પુણ્યતિથિ નિમિતે પક્ષીઓને ચણ, પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો, વીરબાઇ જલિયાણ અન્નક્ષેત્રમાં ડ્રાયફુટ અડદિયા અને મારવાડી સેવનું વિતરણ તથા જરૂરીયાતમંદ દિકરીને સિલાઇ મશીન અર્પણના કાર્યક્રમો યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મંડળના ડો. રક્ષાબેન દાવડા, શ્રીમતી સરલાબેન મશરૂ, શ્રીમતી વર્ષાબેન દિનેશભાઇ સોનૈયા, ભારતીબેન ચાંદ્રાણી, રીટાબેન રાચ્છ, કુન્દબેન કટારીયા, નિશાબેન દાવડા, રીટાબેન કતીરા, કવિતાબેન કટારીયા, વર્ષાબેન ઉનડકટ, ઉષાબેન વસંત રૂપાબેન લાધાણી તથા જાન્હવીબેન મશરૂ જોડાયા હતા. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:13 pm IST)