Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વાંકાનેરઃ ગિરનારમાં અલ્હાબાદની જમાતની શાહી સવારી

વાંકાનેર-જુનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર તળેટી માં શ્રી ઉદાસીન અખાડે થી સંત શ્રી શેરનાથબાપુ ના આશ્રમ સુધી ભવ્ય દિવ્ય શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન બડા નિર્વાણ અખાડા (અલ્હાબાદની જમાત)ની શાહી સવારી વાજતે ગાજતે નીકળી હતી. શ્રી શેરનાથબાપુના આશ્રમે બેન્ડપાર્ટી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત શ્રી શેરનાથબાપુ એ કર્ર્યુ હતુ. શ્રી મહંતશ્રી અડેતાનંદજી મહારાજશ્રી, પાળીયાદની જગ્યાના પૂજય શ્રી નિર્મળબા તેમજ ભયલુંભાઈ, સતાધાર ના મહંત પૂજય શ્રી વિજયબાપુ , જેતપુર ની નાથજીની જગ્યાના મહંત શ્રી કમલનાથજી મહારાજ , તેમજ ગીર પથકના પ્રશિદ્ઘ જગ્યાના સંતો, તેમજ ઉદાસીન પચાયતી બડા અખાડા ના તપસ્વી સંતો, મહંત શ્રી શ્રી નજરે પડે છે.( તસ્વીર અહેવાલઃ હિતેશ રાચ્છ, વાંકાનેર, વિનુ જોષી, જૂનાગઢ)

(12:15 pm IST)