Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પ્રભાસ પાટણ એસબીઆઇ ખાતા ધારકના વારસદારને મૃત્યુ સહાયનો ચેક અર્પણ

પ્રભાસપાટણ તા.૨૫: પ્રભાસપાટણમાં આવેલ એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા અને પ્રભાસ પાટણમાં રહેતા સવજીભાઇ વાયલુંનું તેમજ વેરાવળ તાલુકાના બાદલપરા ગામના પરસોતમભાઇ ચાવડા તેમનું એકાઉન્ટ એસ.બી.આઇ પ્રભાસ પાટણ શાખામાં હોવાથી પ્રધાનમંત્રી જીવન જયોત વિમા અંતર્ગત ૩૩૦નુ પ્રિમિયમ ભરેલ હતું તે દરમ્યાન સવજીભાઇ અને પરસોતમભાઇ ચાવડાનુ કુદરતી મૃત્યુ થતા તેમને બે લાખ બીસી આસીસ્ટન (કસ્ટમ સર્વિસ) સાનુદભાઇ તથા બેન્ક મેનેજર ઇમરાનભાઇ સીદાએ તેઓનું એકાઉન્ટ ચેક કરતા તેઓ પ્રધાનમંત્રી જીવન જયોત વિમા યોજનાના ૩૩૦ પ્રિમીયમ ભરેલ હોવાથી આ બંને વ્યકિતના પરીવારોને આ બાબતની કોઇ જાણકારી નહોવા છતા સામેથી બેન્ક અધિકારી ઇમરાન સીડા, એજી એમ ઝાલા અને સિન્હા અને સાજીદભાઇ ર લાખનો ચેક અર્પણ કરેલ હતો.

આ ચેક સ્વીકારતા સવજીભાઇ અને પરસોતમભાઇના પત્નીએ જણાવેલ મારા બાળકો માટે આ રકમ જીવન નિર્વાહ માટે ઉપયોગી થશે.

(11:28 am IST)