Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

SGVP ગુરુકુલ રીબડા પ્રથમ પાટોત્સવ

માગસર માસમાં ગત વર્ષે SGVP ગુરુકુલ રીબડાના પ્રાર્થના મંદિરમાં વેદોકત વિધિથી શ્રી દ્યનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.   તે અનુસંધાને શ્રી ઘનશ્યામ મહારાજના પ્રથમ પાટોત્સવ પ્રસંગે SGVP ગુરુકુલ ના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે અનેકવિધ કાર્યક્રમો જેવા કે નવશૃંગાર દર્શન જેમાં સુવર્ણ આભૂષણ શૃંગાર દર્શન, શાસ્ત્ર શૃંગાર દર્શન, કાષ્ટ કલા શૃંગાર દર્શન, મોતી ભરત શૃંગાર દર્શન, વનસ્પતિ શૃંગાર દર્શન, ડ્રાયફ્રુટ શૃંગાર દર્શન, પુષ્પ શૃંગાર દર્શન, ફલકૂટ શૃંગાર દર્શન, અન્નકૂટ શૃંગાર દર્શન રાખવામાં આવેલ છે.  ઉપરાંત દ્યનશ્યામ મહારાજનો અભિષેક, પ્રતિષ્ઠા શાંતિ યાગ, રાજોપચાર પૂજન, ભગવત ગીતા પૂજન, ભગવત ગીતા પરાયણ, ગૌ પૂજન તથા ગાયો  માટે મેડિકલ સહાય, આંખ અને દાંત માટે ફ્રી મેડિકલ કેમ્પ, ગરીબોને અન્નકૂટ પ્રસાદ વિતરણ વગેરે પણ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.  તા.૨૪/૨૫/૨૬ દરરોજ સાંજે ૦૫.૩૦ થી ૭ દરમિયાન શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે ઓનલાઇન  શ્રીમદ ભગવત ગીતાની વ્યાખ્યાન માળા રાખવમાં આવેલ છે.

(3:48 pm IST)