Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

નખત્રાણામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી : પ્રાંતને આવેદન પાઠવાયું

સીએએને સમર્થન આપતા બેનરો, ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

 

નખત્રાણા  : નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ દ્વારા નખત્રાણા આરામગૃહથી લઈ છેક પ્રાંત કચેરી સુધી વિશાળ જન સમર્થન રેલી યોજાઈ હતી. જે રેલી પૂર્વ આરામગૃહ પાસે વક્તા દ્વારા નાગરિકતાના કાયદા અંગે ઉભી થયેલી ગેરસમજ દુર કરવા કાયદામાં કંઈ કંઈ જાગવાઈ કરવામાં આવી છે. તેની જાણકારી આપવામાં આવી હતી અને અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

  રેલીમાં રાષ્ટ્રીય સેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ, તાલુકા ભાજપના હોદેદારો, તા.પં. પ્રમુખ સરપચો, વિવિધ ગામોના સરપંચો, ગ્રા.પં. સભ્યો, આગેવાનો મોટાભાગના સમાજના હોદેદારો, ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપરી મંડળ સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણી મોટી સંખ્યામાં જાડાયા હતા. સીએએને સમર્થન આપતા બેનરો, ગગનભેદી નારા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રેલી પ્રાંત કચેરી ખાતે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી દરમ્યાન વેપારી મંડળ પોતાના કામકાજ બંધ રાખીને રેલીમાં જાડાયા હતા.

(11:41 pm IST)