Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મોરબીના કેરાળીના પોલીસ જવાન વસંતભાઇ મિયાત્રાનુ મૃત્યુઃ ૨ પુત્રીઓ પિતા વિહોણી

થોડા વર્ષો પહેલા બુટલેગરોએ પોલીસ કર્મચારીની જીપ સાથે અકસ્માત સર્જીને નાશી ગયા'તા

તસ્વીરમાં પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયુ તે નજરે પડે છે.

મોરબી તા.૨૪: મોરબી જીલ્લાના કેરાળી ગામના પોલીસ જવા વસંતભાઇ મિયાત્રાનુ અકસ્માતમાં મોત થતા ૨ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ અંગે આહિર એકતા મંચ્ ગુજરાતના પ્રમુખ  આહિર અર્જૂન આંબલિયાએ  'અકિલ'ને જણાવ્યુ હતુ કે પોલીસમેન વસંતભાઇ મિયાત્રા ચાર-પાંચ વર્ષ પહેલા દારૂ પકડવા જતા બુટલેગરોએ આ પોલીસ જવાનની કાર ઉપર ચડાવી દીધી હતી. અને ગંભીર ઈજા થતા તેને સારવારમાં ખસેડાયા હતા. અને તેઓ 'કોમા'માં સરી પડ્યા હતા. 

તેઓ  અત્યાર સુધી જીંદગી અને મોત વચ્ચે લડતા હતા અને ગઇકાલે સવારે તેઓનુ મોત નીપજ્યુ હતુ.

પોલીસ જવાન વસંતભાઇ મિયાત્રાના પત્નીનું પણ બે - ત્રણ મહિના પહેલા અવસાન થયુ હતુ.

વસંતભાઇ  અને તેમના પત્નીના અવસાનથી તેમના બે પુત્રીઓ માતા-પિતા વગર નોંધારી થઇ ગઇ છે.

વસંતભાઇનો પાર્થિવદેહ કાલે પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

(2:06 pm IST)